રાજકોટ, તા.૧૩ ડીસેમ્બર- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪ થી ૧૬ સુધી રાજકોટ જિલ્લાના પ્રવાસ પર છે. જે અંતર્ગત શ્રી જયેશભાઈ રાદડિયા તા.૧૪-૧૨-૨૦૧૯ને શનિવારે રોજ સવારે ૯ કલાકે રાજકોટ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ – ૨૦૧૯ના ઈનામ વિતરણ કાર્યક્રમના અઘ્યક્ષશ્રી તરીકે વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી રાદડિયા ૧૫ ડીસેમ્બરે સવારે ૯ કલાકે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેન્ક દ્વારા આયોજિત કાર્યક્રમમાં અને બપોરના ૩ કલાકે જેતપુરના રબારી સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા ૧૬ ડીસેમ્બરના રોજ મતવિસ્તાર ખાતે રોકાણ કરીને અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
Related posts
-
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છના ત્રણ તાલુકામાં જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ભુજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગની... -
તમે તિરંગો ફરકાવો ત્યારે આ વાતો ખાસ ધ્યાનમાં રાખજો
હિન્દ ન્યુઝ, બોટાદ • રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ • તિરંગો જે ઊંચાઈએ... -
નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશમાં ૫ કરોડ પરિવારોની સાથે સંપર્કનું મહાઅભિયાન યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સહકારથી...